ભારત પર ટેરિફ વધારીને ટ્રમ્પે કહ્યું, ઘણાં બધાં સેકન્ડરી સેક્શન આવવાનાં છે; આજથી 25% ટેરિફ લાગુ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 30 જુલાઈના રોજ ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 6 ઓગસ્ટના રોજ તેમણે વધુ 25 ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી.
ચીન જેવા અન્ય દેશો પણ રશિયન તેલની આયાત કરે છે, તેમ છતાં ભારત પર વધારાનો ટેરિફ શા માટે લગાવવામાં આવ્યો? તેના જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હજુ તો માત્ર 8 કલાક જ થયા છે. જોતા રહો આગળ શું થાય છે.
ભારતે શું કહ્યુંભારતે અમેરિકી નિર્ણયની સખત નિંદા કરતા તેને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે.
ભારતે સ્પષ્ટ કર્યું કે તેની ક્રૂડ ઓઇલ આયાત બજાર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાનો છે.
ભારતે એમ પણ કહ્યું કે વિશ્વના ઘણા દેશો આવા જ નિર્ણયો પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લઈ રહ્યા છે, આવા સંજોગોમાં માત્ર ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને અન્યાયી પગલું છે.